દેશમાં જ્યા એક તરફ કોરોનાનો પ્રકોપ છે, ત્યારે પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચવામાં વધુ એક મુસિબતનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઇએ કે, બંગાળની ખાડીમાં વાવાઝોડા એમ્ફાન ઘણા રાજ્યો માટે જોખમી બની શકે છે. ત્યારે દેશમાં એકવાર ફરી લોકડાઉન 4.0 આજથી શરૂ થઇ ગયુ છે. આ લોકડાઉનમાં ટ્રેનોનાં સંચાલનને મંજૂરી આપવામાં આવી નથી. વળી ચક્રવાતી તોફાન ‘એમ્ફાન’ ને લોકડાઉનમાં દોડતી વિશેષ રાજધાની ટ્રેનોને પણ મોટી અસર કરી છે.
‘એમ્ફાન’ વાવાઝોડાનાં ભયને ધ્યાનમાં રાખીને રેલ્વેએ ભુવનેશ્વરથી દિલ્હી અને દિલ્હીથી ભુવનેશ્વર માર્ગ પર દોડતી વિશેષ ટ્રેનનાં રૂટ બદલ્યા છે. જો કે ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે ચક્રવાતની ગતિ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને ચક્રવાત ‘એમ્ફાન’ નાં માર્ગ પરથી પસાર થતી તમામ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને અસ્થાયી ધોરણે સ્થગિત કરવા વિનંતી કરી હતી.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી અને નવીન પટનાયકની વિનંતી પર રેલ્વે મંત્રાલયે ટ્રેનનાં રૂટ બદલવાનો નિર્ણય લીધો છે. રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી 4 દિવસ માટે ભુવનેશ્વર-નવી દિલ્હી-ભુવનેશ્વર એસી સ્પેશિયલ ટ્રેનનાં રૂટ બદલવામાં આવ્યા છે. આ ટ્રેન 18 મે નાં રોજ દિલ્હીથી ઉપડશે અને બદલાયેલા માર્ગ પર 21 મે સુધી ચાલશે. વળી, ભુવનેશ્વર તરફથી આવતી એસી સ્પેશિયલ ટ્રેન 19 મે થી 22 મે દરમિયાન બદલાયેલા રસ્તેથી પસાર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.