કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે બુધવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કોરોના સામેની દેશની લડત નબળી કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રસાદે કહ્યું કે, જ્યારે કોરોનાની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ આવી છે ત્યારથી રાહુલ ગાંધી આ લડતનાં મામલે દેશનાં સંકલ્પને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા કહ્યું હતું કે લોકડાઇન કોવિડ-19 સામે કોઈ સમાધાન નથી. તેનાથી વિપરીત, પંજાબ અને રાજસ્થાને સૌ પ્રથમ લોકડુન લગાવ્યું. મહારાષ્ટ્રે લોકડાઉન 31 મે સુધી વધારી દીધુ. તેમણે પૂછ્યું – શું તમારા મુખ્યમંત્રી તમારી વાત પણ સાંભળતા નથી?
રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “રાહુલ ગાંધી ખોટા આક્ષેપો કરે છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મજૂરોની ટિકિટ માટે ટિકિટનાં પૈસા લેવામાં આવી રહ્યા છે. સરકારે વારંવાર કહ્યું છે કે મજૂરો પાસેથી ભાડા લેવામાં આવતા નથી, રેલવે મંત્રાલય 85% ટિકિટ ભાડું અને રાજ્ય સરકારો 15% વહન કરી રહી છે.”
Rahul Gandhi ji, you say lockdown is not the solution, then don’t you explain this to your chief ministers? Or don’t they listen to you, or they don’t give your opinions any weightage?: Union Minister Ravi Shankar Prasad (2/2) pic.twitter.com/qh5O1CUXgz
— ANI (@ANI) May 27, 2020
તેમણે કહ્યું કે, વિશ્વનાં 15 દેશો જ્યાં કોરોના મોટો રોગ બની ગયો છે તેની કુલ વસ્તી 142 કરોડ છે. તેમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, કેનેડા અને અન્ય દેશો છે. આ દેશોમાં 26 મે સુધી, લગભગ 3.43 લાખ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. ભારતની વસ્તી 137 કરોડ છે અને આપણા દેશમાં 4,345 લોકો મૃત્યુ પામ્યા છે. 64 હજારથી વધુ રિકવરી દર સામે આવ્યો છે.
પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીએ કેવી રીતે દેશના સંકલ્પને નબળા બનાવવાનો પ્રયાસ કર્યો તેના હુ પાંચ વિભાગ જણાવુ છું. 1- નકારાત્મકતા ફેલાવવી, 2- સંકટ સમયે રાષ્ટ્રની વિરુદ્ધ કામ કરવું, 3- ખોટો શ્રેય લેવો, 4- બીજું કહેવુ કઇક અને કરવુ કઇક અલગ, 5- ખોટા તથ્યો અને ખોટા સમાચાર ફેલાવવા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.