Not Set/ ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં વચ્ચેની સીટો ખાલી રાખો અથવા એરલાઈન્સ રક્ષણાત્મક સાધનો પ્રદાન કરે : DGCA

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સને સીટો સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. એરલાઇન્સને તમામ સ્થાનિક ફ્લાઇટમાં વચ્ચેની બેઠક ખાલી રાખવા સૂચના આપવામાં આવી છે. અથવા જો આ શક્ય ન હોય, તો મધ્ય બેઠક પર બેઠેલા પેસેન્જરને મુસાફરી દરમિયાન રક્ષણાત્મક સાધનો પ્રદાન કરવા જોઈએ. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકનાં આ નિર્દેશો 3 જૂનથી અમલમાં […]

India

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સને સીટો સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. એરલાઇન્સને તમામ સ્થાનિક ફ્લાઇટમાં વચ્ચેની બેઠક ખાલી રાખવા સૂચના આપવામાં આવી છે. અથવા જો આ શક્ય ન હોય, તો મધ્ય બેઠક પર બેઠેલા પેસેન્જરને મુસાફરી દરમિયાન રક્ષણાત્મક સાધનો પ્રદાન કરવા જોઈએ.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકનાં આ નિર્દેશો 3 જૂનથી અમલમાં આવશે. એરલાઇન્સને તમામ મુસાફરોને ત્રણ સ્તરની સર્જિકલ માસ્ક, ફેસ શિલ્ડ અને પૂરતા પ્રમાણમાં સેનિટાઈઝર (પાઉચ/બોટલ) સહિતની સલામતી કીટ પૂરી પાડવા જણાવ્યું હતું. ઘરેલું ફ્લાઇટ્સ તાજેતરનાં સમયમાં શરૂ કરવામાં આવી છે. કેટલીક ફ્લાઇટ્સમાં કોરોના પોઝિટિવ દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારબાદથી સમગ્ર વિમાનનાં મુસાફરોએ સાવચેતીનાં ભાગરૂપે તપાસથી નિકળવુ પડશે. તેને ધ્યાનમાં રાખીને ડીજીસીએ એ આજે ​​અનેક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત એરલાઇન્સને ઉડાન પહેલા અને પછી તમામ ફ્લાઇટ્સને સેનિટાઈઝ કરવા કહેવામાં આવ્યું છે.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને ઘરે લાવતા એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં સામાજિક અંતરની કાળજી ન લેવા બદલ સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો હતો. કોર્ટે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર અને સરકારી એરલાઇન્સને પૂછ્યું હતું કે શું કોરોના વાયરસ જાણે છે કે તેણે વિમાનમાં બેઠેલા મુસાફરોને સંક્રમિત નથી કરવાના?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.