બસપાનાં વડા માયાવતીએ અરવિંદ કેજરીવાલ સરકારનાં દિલ્હી સરકારી હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની સારવારનાં નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. માયાવતીએ સોમવારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી દેશની રાજધાની છે. દેશભરનાં લોકો તેમના મહત્વપૂર્ણ કાર્યોથી અહીં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ અચાનક માંદગીમાં આવે છે, તો તેને તે કહીને કે તે દિલ્હીનો નથી એટલે દિલ્હી સરકાર તેની સારવાર કરવા નહી દે આ અતિ દૂર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રએ તેમાં દખલ કરવી જ જોઇએ.”
યુપીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બસપાનાં વડા માયાવતીએ અરવિંદ કેજરીવાલ સરકારની દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીનાં લોકોને સારવાર આપવાના નિર્ણય અંગે સવાલ ઉઠાવ્યા છે. માયાવતીએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે દિલ્હી સરકારનો આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે. કેન્દ્રની મોદી સરકારે આમાં દખલ કરવી જ જોઇએ. માયાવતીએ વધુમાં કહ્યું કે, લોકો આજથી અનલોક-1 હેઠળ ખોલવામાં આવી રહેલા તમામ જગ્યાઓ અને બજારો વગેરેમાં જવા માટે સરકારનાં નિયમોનું સખતપણે પાલન કરે. જો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો જ તમારે ત્યાં જવું જોઈએ, નહીં તો તમારે જવાનું ટાળવું જોઈએ. બસપાની તેમના હિતમાં જ સલાહ છે.
2. दिल्ली देश की राजधानी है। यहाँ पूरे देश से लोग अपने जरूरी कार्यों से आते रहते हैं। ऐसे में यदि कोई व्यक्ति अचानक बीमार पड़ जाता है तो उसको यह कहकर कि वह दिल्ली का नहीं है इसलिए दिल्ली सरकार उसका इलाज नहीं होने देगी, यह अति-दुर्भाग्यपूर्ण। केन्द्र को इसमें जरूर दखल देना चाहिये।
— Mayawati (@Mayawati) June 8, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.