હાલ સમગ્ર દેશમાં કોરોના કેસ વધતાં જોવા મળી રહ્યા છે . ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રસીકરણને લાગતો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં 12 વખત કોરોનાની રસી મળવાના દાવા બાદ મુખ્ય સચિવે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા સિવિલ સર્જન અમરેન્દ્ર નારાયણ શાહીએ જણાવ્યું હતું કે વડીલનો દાવો ખોટો છે કે તેમાં કોઈ સત્યતા છે તે જાણવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિએ બે ડોઝથી વધુ ન લેવા જોઈએ. જો વૃદ્ધોનો દાવો સાચો હશે તો સંબંધિત અધિકારીઓ સામે પગલાં લેવાશે.
આઈડીનો ઉપયોગ કર્યો, ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારી બ્રહ્મદેવ મંડલે જણાવ્યું કે તેણે અલગ-અલગ પ્રસંગોએ નોંધણી માટે આધાર અને મતદાર આઈડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ રીતે, તેણે અત્યાર સુધીમાં 12 વખત કોરોનાની રસી મેળવી છે. તેમણે જણાવ્યું કે પ્રથમ રસી 11 મહિના પહેલા આપવામાં આવી હતી.
આ પણ વાંચો:દિલ્હીમાં કોરોના વિસ્ફોટ! / દિલ્હીમાં આજે આવી શકે છે કોરોનાના 14000 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન
બ્રહ્મદેવના જણાવ્યા અનુસાર, તેમને મંગળવારે ચૌસા પીએચસીમાં 12મો ડોઝ આપવામાં આવ્યો હતો. અગાઉ, 13 ફેબ્રુઆરી 2021 ના રોજ, જૂના પીએચસીમાં પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો. 13 માર્ચે, બીજો ડોઝ પુરૈનીમાં જ આપવામાં આવ્યો હતો અને 19 મેના રોજ, ત્રીજો ડોઝ ઔરાઈ સબ હેલ્થ સેન્ટરમાં આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર બાબત એ છે કે વૃદ્ધે કોરોના રસીના 12 ડોઝ લીધા અને તે તંત્રની પકડથી દૂર રહ્યા. તેનું રસીનું પ્રમાણપત્ર એક વખત પણ જનરેટ થયું ન હતું વડીલનું કહેવું છે કે ડોઝ લેતી વખતે તેણે પોતાનો મોબાઈલ નંબર પણ વારંવાર બદલ્યો હતો.
આ પણ વાંચો:મોટા સમાચાર / વાઇબ્રન્ટ સમિટ બાદ સરકારનો બીજો સૌથી મોટો નિર્ણય, ફ્લાવર શો, પતંગોત્સવ રદ્દ