Not Set/ ભારતીય આર્મીનો ચીનને વળતો જવાબ, જવાબી કાર્યવાહીમાં ચીનના 5 સૌનિકોના મોત

સોમવારે મોડી રાતે ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં એક ભારતીય અધિકારી સહિત બે જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, ચીની સૈનિકોએ લાકડામાં તીક્ષ્ણ વસ્તુઓ મૂકીને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો. ભારતીય સેનાએ પણ પોતાના સૈનિકોની શહાદતનો બદલો લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના બદલામાં પાંચ ચીની સૈનિકો પણ ઠાર થયા છે. […]

Uncategorized
6b77ead6c968f2f8cc675a7b3217586f ભારતીય આર્મીનો ચીનને વળતો જવાબ, જવાબી કાર્યવાહીમાં ચીનના 5 સૌનિકોના મોત
6b77ead6c968f2f8cc675a7b3217586f ભારતીય આર્મીનો ચીનને વળતો જવાબ, જવાબી કાર્યવાહીમાં ચીનના 5 સૌનિકોના મોત

સોમવારે મોડી રાતે ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં એક ભારતીય અધિકારી સહિત બે જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, ચીની સૈનિકોએ લાકડામાં તીક્ષ્ણ વસ્તુઓ મૂકીને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો. ભારતીય સેનાએ પણ પોતાના સૈનિકોની શહાદતનો બદલો લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના બદલામાં પાંચ ચીની સૈનિકો પણ ઠાર થયા છે. જ્યારે 11 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારબાદથી સરહદ પર વિવાદ વધુ ગાઢ થયો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકો સોમવારે રાત્રે LAC પર સોમવારે રાત્રે લગભગ બેથી ત્રણ કલાક સુધી અથડામણ થઇ. આ ઘટનાને પગલે સરહદ પર ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની વાટાઘાટો વચ્ચે તણાવ વધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને ભારતીય દળો વચ્ચે વિવાદ સોમવારે મોડી રાત્રે વધ્યો. જેમાં ભારતને મોટુ નુકસાન થયું છે. આપને જણાવી દઈએ કે 1962 પછી પહેલીવાર ભારત-ચીન વિવાદ વચ્ચે કોઈ સૈનિકની શહાદતનો મામલો સામે આવ્યો છે.

અહેવાલ છે કે ચીનની આ કાર્યવાહી બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સીડીએસ અને ત્રણેય દળોના વડા સાથે વાત કરી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાજર હતા. આ બેઠકમાં ગલવાન ખીણમાં બનેલી ઘટના વિશે તાજી માહિતી મળી હતી.

ભારત પર ચીને લગાવ્યો આરોપ

આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન બહાર આવ્યું છે. ચીને ભારતીય સેના પર સરહદ પાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ ચીને પણ ભારતીય સૈનિકો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. ચીને પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે ભારત એકપક્ષીય કાર્યવાહી ન કરે. આ ઘટના બાદ સેનાના વરિષ્ઠ અધિકારીઓ ગલવાન ખીણ પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકો કંટીલ તાર અને પત્થરો સાથે લઈને આવ્યા હતા.

પૂર્વી લદ્દાખના પેંગોંગ સો, ગલવાન ખીણ, ડેમચોક અને દૌલાત બેગ ઓલ્ડિમાં પાંચ અઠવાડિયાથી વધુ સમયથી ભારતીય અને ચીની સેના વચ્ચે તકરાર ચાલી રહી છે. પેંગોંગ સો સહિતના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ચીની સેનાના જવાનો સરહદની ભારતીય બાજુમાં પ્રવેશ્યા હતા. લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ના ભંગની આ ઘટનાઓ પર ભારતીય સૈન્ય સખત વાંધો ઉઠાવી રહી  છે અને આ વિસ્તારમાં શાંતિ અને સુલેહ-શાંતિની પુનસ્થાપના માટે ચીની સૈનિકોની તાત્કાલિક પરત માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.