સુપ્રીમ કોર્ટની સિંગલ બેંચ 18 જૂનના તેના હુકમમાં સુધારાની માંગ કરતી ચાર અરજીઓની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ વાર્ષિક રથયાત્રા કેસનો ઉલ્લેખ કરતાં કેન્દ્રએ કહ્યું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને રથયાત્રા લોક વિના આયોજિત કરી શકાય છે.
Centre mentions the annual Rath Yatra matter before Supreme Court and says, it can be held without public participation keeping in view the COVID19 pandemic https://t.co/swTOUGrGRU
— ANI (@ANI) June 22, 2020
સુનાવણીની શરૂઆતમાં કોર્ટે કોરોના વાયરસ મહામરીને કારણે ઓડિશામાં પુરી અને અન્ય સ્થળોએ યોજાનારી રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અંગે કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
ઓડિશામાં વાર્ષિક અને પ્રખ્યાત રથયાત્રાને લઈને ઘણાં સંશયવાદ પ્રવર્તે છે. આ અંગે મંદિર સમિતિએ ભક્તો વિના કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ કોર્ટે કોઈપણ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.