દિલ્હીની લોધી એસ્ટેટમાં બંગલો ખાલી કરવાની સૂચના બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીને બદલે લખનૌ શિફ્ટ થઈ શકે છે. પ્રિયંકાના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર તે ટૂંક સમયમાં લખનઉનાં કૌલ હાઉસમાં શિફ્ટ થઈ જશે. કૌલ હાઉસ ઇન્દિરા ગાંધીની કાકી શીલા કૌલનું છે.
પ્રિયંકા પાર્ટીના મહાસચિવ તેમજ યુપીના પ્રભારી છે. તેથી, તેમના આ પગલાને ખૂબ સખત વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. પ્રિયંકાની યુપી મુલાકાત કોરોના સંક્રમણ દરમિયાન ઓછી થઈ હતી. આવી સ્થિતિમાં રાજકીય દ્રષ્ટિકોણથી લખનૌ શિફ્ટ થવું પણ મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા યુપીમાં જનરલ સેક્રેટરી બનાવાઈ ત્યારથી વધુ સક્રિય છે. તે પછી ભલે કામદારોને લઇ જવા બસો ગોઠવવાની વાત હોય કે સોનભદ્રના ખેડુતોના હત્યાકાંડ પછી આંદોલન.
આગામી ચૂંટણી પૂર્વે લખનૌમાં બેસવાનો નિર્ણય
મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધીએ યુપીની ચૂંટણી પહેલા લખનૌમાં પોતાનો આધાર બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. ઈન્દિરા ગાંધીનાં આન્ટી શીલા કૌલનું ઘર ‘કૌલ હાઉસ’ નું રિપેરિંગ કામ થઈ ચૂક્યું છે. લખનૌમાં આ ઘરમાં પ્રિયંકા રહેશે. જો કે, પ્રિયંકાના બાળકો તેમની સાથે સ્થળાંતરિત થશે કે નહીં, તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તે નિશ્ચિત છે કે પ્રિયંકા સંપૂર્ણ રીતે સક્રિય રહેવા અને યુપીની રાજનીતિમાં સામેલ થવા અને ઉત્તર પ્રદેશમાં વધુ સમય વિતાવવા માટે લખનૌ શિફ્ટ થશે. જિલ્લાઓમાં ખર્ચ કરશે
શું કારણ હોઇ શકે છે લખનૌવ શિફ્ટીંગનું
દિલ્હીમાં બંગલો 1 ઓગસ્ટ સુધીમાં ખાલી કરાશે
મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટમાં બંગલો ખાલી કરવા જણાવ્યું છે. પ્રિયંકાએ આ બંગલો 1 ઓગસ્ટ સુધી ખાલી કરવાનો છે. એસપીજી સુરક્ષા હટાવવાને કારણે બંગલો ખાલી કરાવવો પડ્યો. આ સંદર્ભમાં, ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. 6-બી હાઉસ નંબર- 35 લોધી એસ્ટેટમાં પ્રિયંકા ગાંધી પરિવાર સાથે રહે છે. પ્રિયંકા લગભગ બે દાયકાથી આ ઘરમાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….