![રાહુલ ગાંધીએ કાનપુર ફાયરિંગ પર કર્યુ ટ્વીટ, કહ્યુ- જ્યારે પોલીસ સુરક્ષિત નથી તો... 3 a0dd767f8f591e392661ebe4abad12df રાહુલ ગાંધીએ કાનપુર ફાયરિંગ પર કર્યુ ટ્વીટ, કહ્યુ- જ્યારે પોલીસ સુરક્ષિત નથી તો...](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/a0dd767f8f591e392661ebe4abad12df.jpg)
ઉત્તર પ્રદેશનાં કાનપુર જિલ્લામાં ગુનેગારો દ્વારા 8 પોલીસકર્મીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ડીએસપી કક્ષાનાં અધિકારી સહિત, 3 સબ ઈન્સ્પેક્ટર, 4 કોન્સ્ટેબલો, વીરગતિ પ્રાપ્ત થયા હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપી સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. તેમણએ એનડીટીવીનાં સમાચારને ટ્વિટ કરતા યોગી સરકાર પર પ્રહાર કર્યો હતો.
રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, યુપીમાં ગુંડારાજનો વધુ એક પુરાવો. જ્યારે પોલીસ સુરક્ષિત ન હોય ત્યારે જનતા કેવી રહેશે? મારી શોક સંવેદનાઓ માર્યા ગયેલા વીર શહીદોનાં પરિવારજનોની સાથે છે અને હુ ઈજાગ્રસ્તોને જલ્દી ઠીક થવાની કામના કરુ છુ.”
यू.पी. में गुंडाराज का एक और प्रमाण। जब पुलिस सुरक्षित नहीं, तो जनता कैसे होगी?
मेरी शोक संवेदनाएँ मारे गए वीर शहीदों के परिवारजनों के साथ हैं और मैं घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूँ।https://t.co/jTptULhObH
— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2020