પશ્ચિમ બંગાળ ભાજપનાં પ્રમુખ દિલીપ ઘોષે ગુરુવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યમાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) લાગુ કરવાથી કેન્દ્રને અટકાવવાનો પડકાર ફેંક્યો અને કહ્યું કે, રાજ્યમાં એનઆરસી આવશ્યક છે કેમ કે ઘૂસણખોરો તૃણમૂલ કોંગ્રેસનાં વોટબેંક બન્યા છે. તેમણે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) નો વિરોધ કરવા માટે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે દેશ માટે દરેક સારા કાર્યનો વિરોધ કરવો તે તેમની આદત બની ગઈ છે.
ઘોષે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘સીએએ એ કેન્દ્રિય કાયદો છે જેનો અમલ દેશભરમાં કરવામાં આવશે. જો મમતા બેનર્જી તેને પશ્ચિમ બંગાળમાં લાગુ થવાથી રોકી શકે છે, તો તેઓ તેને અટકાવવીને બતાવે. ”તેમણે કહ્યું કે એનઆરસી પશ્ચિમ બંગાળમાં લાગુ થવી જોઈએ. મમતા બેનર્જીને ઘૂસણખોરોની મદદની જરૂર છે, કારણ કે તે તેમની વોટબેંક બની ગઈ છે.
તેમણે કહ્યું કે, પહેલા અહીં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) લાગુ થવા દો, ત્યારબાદ આપણે જોઈશું કે એનઆરસી સાથે શું થઈ શકે છે. અમે એમ કહી રહ્યા નથી કે અમે તેને અમલમાં લાવીશું, પરંતુ અમારું માનવું છે કે ઘૂસણખોરોને બાકાત રાખવા માટે આ થવું જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીની એક રેલીમાં કહ્યું હતું કે, તેમની સરકારે 2014 માં પ્રથમ સત્તામાં આવ્યા પછી રાષ્ટ્રવ્યાપી એનઆરસી અંગે ક્યારેય ચર્ચા કરી નથી.
ઘોષનાં દાવા પર પ્રતિક્રિયા આપતાં, તૃણમૂલ કોંગ્રેસનાં મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યું કે, વિવાદ ખુલ્યો છે, દેશભરમાં સીએએ વિરુદ્ધ થયેલા વિરોધને કારણે તે (ભાજપ) બેકફૂટ પર છે, તેથી તેઓએ કહ્યું કે તેઓ એન.આર.સી. લાગુ નહીં કરે. પરંતુ હકીકત એ છે કે વિરોધ શાંત થયા પછી તેઓ દેશભરમાં તેનો અમલ કરવા માંગે છે. આસામમાં એનઆરસીનો અભ્યાસ કરવા અંગે ઘોષે કહ્યું હતું કે, ભાજપને તેની સાથે કંઈ જ લેવાદેવા નથી કારણ કે આ સુપ્રીમ કોર્ટનાં નિર્દેશન પર બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.