Not Set/ નેપાળમાં કાર્ગો વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 2 પાયલોટના મોત

  બુધવારે નેપાળમાં થયેલા એક દુખદ હવાઈ દુર્ઘટનામાં બે પાયલોટનું મોત નીપજ્યું છે. મકાલું એરલાઇન્સનું માલવાહક વિમાન હુમલા જીલ્લા નજીક દુર્ઘટનાનું શિકાર થયું હતું. જણાવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાની ચાર કલાક બાદ વિમાન દુર્ઘટના થયાની માહિતી મળી હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દુર્ઘટનાના કારણોની માહિતી નથી મળી. સવારે છ વાગ્યે ભરી […]

Top Stories World
16 05 2018 plane 17960080 132214540 નેપાળમાં કાર્ગો વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 2 પાયલોટના મોત

 

બુધવારે નેપાળમાં થયેલા એક દુખદ હવાઈ દુર્ઘટનામાં બે પાયલોટનું મોત નીપજ્યું છે. મકાલું એરલાઇન્સનું માલવાહક વિમાન હુમલા જીલ્લા નજીક દુર્ઘટનાનું શિકાર થયું હતું. જણાવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાની ચાર કલાક બાદ વિમાન દુર્ઘટના થયાની માહિતી મળી હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દુર્ઘટનાના કારણોની માહિતી નથી મળી.


સવારે છ વાગ્યે ભરી હતી ઉડાન:-

   મકાલું એરલાઇન્સના આ વિમાનમાં સવારે 6 વાગીને 12 મીનીટે સુરખેતથી હુમલા જીલ્લા પહોંચવા માટે ઉડાન ભરી હતી. વિમાનને 6 વાગીને 55 મીનીટે હુમલા જીલ્લામાં પહોંચવાનું હતું. ટ્રાફિક કંટ્રોલના જણાવ્યા અનુસાર હુમલા ઉતારવાના થોડા સમય પહેલા જ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.

   આપને જણાવી દઈએ કે આ દુર્ઘટના પહેલા પણ ત્રિભુવન આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 51 લોકોની મોત નીપજી હતી અને ડઝનો ઘાયલ થયા હતા.