- જમ્મુ કાશ્મીરના એસઆઈ ભરતી કૌભાંડમાં કાર્યવાહી
- એસઆઈ ભરતી કૌભાંડમાં સીબીઆઇની મોટી કાર્યવાહી
- ગાંધીનગર સહિત દેશભરમાં 33 સ્થળોએ દરોડા
- ઉત્તર પ્રદેશ દિલ્હી કર્ણાટક અને હરિયાણામાં પણ દરોડા
- અનેક મોટા માથાઓને ત્યાં દરોડા
CBIએ દિલ્હી, યુપી અને ગુજરાત સહિત 33 સ્થળો પર દરોડા પાડ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં SI ભરતી કૌભાંડ સંબંધિત મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.હરિયાણાના શ્રીનગર, કરનાલ, મહેન્દ્રગઢ, રેવાડી તેમજ ગુજરાતના ગાંધીનગર, દિલ્હી, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને કર્ણાટકના બેંગ્લોરમાં દરોડા પાડવામાં આવ્યા છે.આ દરોડા જમ્મુ-કાશ્મીર એસએસબીના પૂર્વ પરીક્ષા નિયંત્રક અશોક કુમાર, પૂર્વ અધ્યક્ષ ખાલિદ જહાંગીર ડીએસપી અને સીઆરપીએફ અધિકારીઓના ઘર પર પાડવામાં આવ્યા છે.
આ પહેલા સોમવારે NIAએ ઉત્તર ભારતમાં લગભગ 60 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં, તે ટોપ ગેંગ રડાર પર હતો, જે ભારતમાં, જેલમાં અથવા વિદેશમાં કાર્યરત છે. તાજેતરમાં NIAએ હરિયાણા અને પંજાબ પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી.NIAએ ગેંગસ્ટરો અને તેમની ગેંગ પર કાર્યવાહી માટે સંપૂર્ણ ડોઝિયર તૈયાર કર્યું હતું. ટાર્ગેટ કિલિંગ સહિત અન્ય પ્રવૃતિઓમાં સંડોવાયેલા ગેંગસ્ટરો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. NIAએ દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં આ દરોડા પાડ્યા હતા. તાજેતરમાં NIAએ નીરજ બવાના ગેંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત 10 ગેંગસ્ટરો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.