ગણપતિ બાપ્પાના ભક્તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દાનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. બાપ્પાના એક ભક્તએ સિદ્ધિવિનાયક મંદિરમાં 35 કિલો સોનું દાનમાં આપ્યું છે જેની કિંમત બજારમાં લગભગ 14 કરોડ રૂપિયા છે. જો કે, સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તની ઓળખ છુપી રાખીને તેણે કેમ આટલું દાન કર્યું તેની માહિતી પણ નથી પણ નથી આપી, જેના આધારે ભક્તે મંદિરમાં આટલું મોટું દાન આપ્યું છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ઇતિહાસમાં ક્યારેય કોઈ ભક્તને આટલું મોટું દાન આપ્યું ન હતું.
સિદ્ધિવિનાયક ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મંદિરના ઝુમ્મર અને મંદિરના મુખ્ય દરવાજા સોનાના દાનથી ફરીથી બનાવવામાં આવ્યા છે. આ કારણોસર, સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા 19 જાન્યુઆરીએ મંદિર બંધ કરવામાં આવ્યું હતું અને 20 જાન્યુઆરીએ મંદિર ફરીથી દર્શન માટે ખોલવામાં આવ્યું છે. સિદ્ધિવિનાયક મંદિર મુંબઇના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું છે.
ભગવાન ગણેશ ભક્તો સિદ્ધિવિનાયક મંદિરને દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આપે છે અને મંદિર ટ્રસ્ટ દાન કરેલા પૈસા સામાજિક કાર્ય માટે ખર્ચ કરે છે. આ મંદિર મુંબઇમાં બહુ પ્રખ્યાત છે અને મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને જાણીતા ઉદ્યોગપતિઓ ભગવાન ગણેશ પાસે તેમની ફરિયાદ લઈને આવે છે.ભગવાન તેમના ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.