નેપાળના મકવાનપુર જિલ્લાના દમણમાં આવેલા એક રિસોર્ટના ઓરડામાં કેરળના આઠ પ્રવાસીઓનાં મોત નીપજ્યાં છે. આ કેસમાં જિલ્લા પોલીસ કચેરીના પોલીસ અધિક્ષક સુશીલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હજુ સુધી અમે મૃતકોના નામની ઓળખ કરી શક્યા નથી. તે રૂમમાં ગેસ હીટરનો ઉપયોગ કરી રહ્યા હતા. ગૂંગળામણને કારણે તેનું મોત નીપજ્યું હોય શકે છે.’
આ મામલે કેરળમાં મુખ્યમંત્રી કાર્યાલયએ કહ્યું કે, કેરળના મુખ્યમંત્રીની સૂચનાના આધારે બિન-નિવાસી કેરાલવાસી બાબતોનો વિભાગ (એનઓઆરકેએ) નેપાળમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે. આશા છે કે ઓટોપ્સી બાદ આવતીકાલે આ મૃતદેહ કેરળ આવી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.