ગુજરાતમાં સીવીસી અને સીબીઆઈની સંયુક્ત કોન્ફરન્સને ઓનલાઈન સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અગાઉની સરકારોમાં ભ્રષ્ટાચાર સામે લડવાની ઈચ્છા નહોતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર દેશમાં છેતરપિંડી કરનાર અને ગરીબોને લૂંટનારાઓને છોડશે નહીં, ભલે તે શક્તિશાળી હોય
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની સંયુક્ત કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “નાના કે મોટા ભ્રષ્ટાચાર બીજાના અધિકાર છીનવી લે છે. તે દેશના સામાન્ય નાગરિકને તેમના અધિકારોથી વંચિત રહે છે. રાષ્ટ્રની પ્રગતિને અવરોધે છે અને એક રાષ્ટ્ર તરીકે આપણી સામૂહિક શક્તિને પણ અસર કરે છે અને આજે દેશને પણ ખાતરી થઈ ગઈ છે કે જેઓ દેશને છેતરે છે, ગરીબોને લૂંટે છે, પછી ભલે તેઓ દેશમાં ગમે ત્યાં હોય સરકાર તેમને છોડશે નહી.
વડાપ્રધાને કહ્યું કે સરકારી યોજનાઓ હવે કોઈપણ વચેટિયા અથવા ભ્રષ્ટાચાર વગર અમલમાં મુકવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું, ‘દેશ હવે માને છે કે તેઓ સરકારી યોજનાઓનો લાભ કોઈપણ મધ્યસ્થી અને ભ્રષ્ટાચાર વિના મેળવી શકે છે. લોકો પણ માનવા લાગ્યા છે કે હવે છેતરપિંડી કરનારાઓને છોડવામાં આવશે નહીં. વડાપ્રધાને કહ્યું કે ન્યુ ઇન્ડિયા હવે એ સ્વીકારવા તૈયાર નથી કે ભ્રષ્ટાચાર એ સિસ્ટમનો એક ભાગ છે. તેમણે કહ્યું કે તેઓ પારદર્શક વ્યવસ્થા, કાર્યક્ષમ પ્રક્રિયા અને સરળ શાસન ઈચ્છે છે.