Not Set/ શશી થરૂરની આપત્તીજનક ટિપ્પણી : પીએમ મોદીની તુલના વીંછી સાથે કરી

કોંગ્રેસના નેતા શશી થરૂરે ફરી એકવાર કોંગ્રેસને મુસીબતમાં મૂકે એવું નિવેદન આપ્યું છે. શશી થરૂરે બેંગ્લોરમાં એક પત્રકારના હવાલેથી આરએસએસના એક નેતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. થરૂરનું માનવામાં આવે તો આરએસએસના એક નેતાનું કહેવાનું હતું કે, મોદી શિવલિંગ પર ચોંટેલા વીંછી જેવા છે, જેને ન તો હટાવી શકાય છે અને ન તો ચપ્પલથી મારી શકાય છે. […]

Top Stories India
shashi tharoor 2 શશી થરૂરની આપત્તીજનક ટિપ્પણી : પીએમ મોદીની તુલના વીંછી સાથે કરી

કોંગ્રેસના નેતા શશી થરૂરે ફરી એકવાર કોંગ્રેસને મુસીબતમાં મૂકે એવું નિવેદન આપ્યું છે. શશી થરૂરે બેંગ્લોરમાં એક પત્રકારના હવાલેથી આરએસએસના એક નેતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.

થરૂરનું માનવામાં આવે તો આરએસએસના એક નેતાનું કહેવાનું હતું કે, મોદી શિવલિંગ પર ચોંટેલા વીંછી જેવા છે, જેને ન તો હટાવી શકાય છે અને ન તો ચપ્પલથી મારી શકાય છે.

a2c0ebc1d1bcd7af51a44c2a531f8b16 e1540723233920 શશી થરૂરની આપત્તીજનક ટિપ્પણી : પીએમ મોદીની તુલના વીંછી સાથે કરી

જણાવી દઈએ કે, થરૂર આ પહેલા પણ ઘણી વાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવી ચુક્યા છે. આ વર્ષે જુલાઈમાં એમણે કહ્યું હતું કે, ભારતમાં કેટલીક જગ્યાઓ પર મુસ્લિમોની તુલનામાં ગાય વધારે સુરક્ષિત છે.

શશી થરૂરની આ ટિપ્પણી એમના હિન્દૂ મુસલમાન વાળા નિવેદન બાદ આવી હતી. જેની એમના રાજનીતિક વિરોધીઓએ આલોચના કરી હતી.

થરૂરે ટ્વિટર પર લખ્યું કે, ભાજપના મંત્રીઓના સાંપ્રદાયિક હિંસામાં ઘટાડો થયો હોવાના દાવાઓ તથ્યો પર કેમ ખરા નથી ઉતારતા. એવું પ્રતીત થાય છે કે, કેટલીક જગ્યાઓ પર મુસ્લિમોની તુલનામાં ગાય સુરક્ષિત છે.