લોક જનશક્તિ પાર્ટીમાં ચાલતી વર્ચસ્વ માટેની લડત હવે ચૂંટણી પંચની સાથે સાથે બિહારના માર્ગો પર પણ જોવા મળશે. ચિરાગ પાસવાન હવે કાકાના બળવોને સીધુ જ જનતાના દરબારમાં લઇ જશે. આ માટે તેમણે આગામી મહિનાની 5 મી તારીખથી ‘આશીર્વાદ યાત્રા’ કાઢવાની જાહેરાત કરી છે.
લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન જૂથની આજે દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી. કાકા પશુપતિ પારસના બળવાને કાવતરું ગણાવતા, નિર્ણય કરવામાં આવ્યો હતો કે ચિરાગ પાસવાન 5 જુલાઈથી બિહારમાં ‘આશીર્વાદ યાત્રા’ શરૂ કરશે. 5 જુલાઈ એ ચિરાગના પિતા સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ છે. રસપ્રદ વાત એ છે કે આ યાત્રા હાજીપુરથી શરૂ થશે જે પશુપતિ પારસનો લોકસભા મત વિસ્તાર છે. હાજીપુર રામવિલાસ પાસવાનનું પણ કાર્ય સ્થળ રહ્યું છે. રામવિલાસ પાસવાન આઠ વખત હાજીપુરથી લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.
રાજકીય / જાણો વડા પ્રધાન નરેન્દ્ર મોદી કયા મુદ્દે જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે વાત કરશે?
આ યાત્રા લગભગ બે મહિના ચાલશે અને સમગ્ર બિહારમાં ચાલશે. યાત્રાના અંતે, પટનામાં પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક મળશે, જેમાં આગળની વ્યૂહરચના પર વિચાર કરવામાં આવશે. રાષ્ટ્રીય કારોબારીની આજે મળેલી બેઠકમાં રાજકીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પાંચ મુદ્દાના ઠરાવમાં બિહારમાં રાષ્ટ્ર નિર્માણ બદલ તેમની પ્રતિમા મુકવાની માંગ સાથે દિવંગત રામ વિલાસ પાસવાનને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે.
ભક્તોએ કરી ત્રીજી લહેરની તૈયારી ? / સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી મંદિરના દ્વાર ખુલતા જામી ભક્તોની ભીડ
ઠરાવમાં રાષ્ટ્રીય કારોબારી વતી અધ્યક્ષ તરીકે ચિરાગ પાસવાનમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. ઠરાવમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કારોબારી પક્ષ ચિરાગ પાસવાનના દરેક નિર્ણયને સમર્થન આપે છે, જે બંધારણ મુજબ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આ સાથે, એલ.જે.પી. અંગે પશુપતિ પારસ દ્વારા અપાયેલા નિવેદનોની નિંદા કરતી વખતે, તેમની ક્રિયાઓને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી. ઠરાવમાં પુનરાવર્તન કરવામાં આવ્યું હતું કે પશુપતિ પારસને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.