આજે સવાર સુધીમાં ભારતમાં કોરોનાનાં કુલ કેસ 19 લાખને વટાવી ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 52,509 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે 857 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં કોરોનાવાયરસનાં કુલ 19,08,254 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 857 દર્દીઓનાં મોત બાદ દેશમાં આ રોગથી મૃત્યુ પામનારા કુલ દર્દીઓની સંખ્યા 39,795 રહી છે. આપને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધીમાં 12,82,215 લોકો આ રોગથી ઠીક થયા છે. છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા 51,706 છે. દેશમાં હાલમાં રિકવરી દર 67.19% પર ચાલી રહ્યો છે, જ્યારે પોઝિટિવિટી રેટ 8.47% છે. એટલે કે, એક દિવસમાં જેટલા સેમ્પોલની ટેસ્ટિંગ થઇ રહી છે તેમાથી 8.47 ટકા કેસો પોઝિટિવ આવી રહ્યા છે. ટેસ્ટિંગની વાત કરીએ તો 4 ઓગસ્ટનાં રોજ દેશમાં કુલ 6,19,652 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વળી, દેશમાં કુલ 2,14,84,402 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
India’s #COVID19 tally crosses 19-lakh mark with single-day spike of 52,509 new cases & 857 deaths in the last 24 hours.
The total number of positive cases is 19,08,255 including 5,86,244 active cases, 12,82,216 cured/discharged/migrated & 39,795 deaths: Health Ministry pic.twitter.com/JbTtxwbD2y
— ANI (@ANI) August 5, 2020