અયોધ્યામાં આજે રામ મંદિર માટે ભૂમિપૂજનમાં જોડાનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે જે રામ જન્મભૂમિ જઈ રહ્યા છે. વડા પ્રધાન આ સમારોહમાં બહુપ્રતિક્ષિત રામ મંદિર નિર્માણ માટે મંદિરનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીનાં આગમન પર ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે પીએમ મોદી એવા પહેલા વડા પ્રધાન છે કે જે રામ જન્મભૂમિ જઈ રહ્યા છે. પીએમ મોદી 29 વર્ષ પછી અયોધ્યા જઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામલાલાની મુલાકાત લીધી, તેમની પૂજા-અર્ચના કરી. આ સમય દરમિયાન, વડા પ્રધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પરિસરમાં પારીજાતનો છોડ લગાવ્યો. જણાવી દઇએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામજન્મભૂમિ પહોંચ્યા છે. થોડી ક્ષણો બાદ વડા પ્રધાન રામલાલાની પૂજા કરશે. જે બાદ ભૂમિપૂજન શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.