વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે વાત કરી હતી. વ્યૂહાત્મક ભાગીદારીના ભાવિ પર બંને નેતાઓ વચ્ચેની વાતચીત ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરતી વખતે, PM મોદીએ લખ્યું, “મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચારોની આપ-લે કરી. આતંકવાદ, હિંસા અને નાગરિકોના જાનહાનિ પર ચિંતા વ્યક્ત કરી. બંને નેતાઓ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.
Held a good conversation with my Brother HRH Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud on the future of Strategic Partnership between India and Saudi Arabia. We exchanged views on the West Asia situation and shared concerns regarding terrorism, violence and the loss of…
— Narendra Modi (@narendramodi) December 26, 2023
બંને નેતાઓ વચ્ચેની ટેલિફોનિક વાતચીતમાં પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ, ખાસ કરીને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે જ સમયે, જો આપણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વાત કરીએ તો, બંને વચ્ચે કોઈ પ્રકારની શાંતિ સમજૂતી થાય તેવું લાગતું નથી. બંને તરફથી સતત જવાબી હુમલા કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પીએમ મોદી અને સાઉદી અરેબિયાના પ્રિન્સ વચ્ચેની વાતચીત પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભારત સાથે સાઉદી અરેબિયાના સંબંધો ખૂબ જ મજબૂત અને સારા છે. ગયા સપ્ટેમ્બરમાં પણ ક્રાઉન પ્રિન્સ જી-20 બાદ ભારતની સરકારી મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. બંને દેશો વચ્ચે ચર્ચાના મુદ્દાઓ ઉર્જા, સુરક્ષા, વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, આરોગ્ય સંભાળ, ખાદ્ય સુરક્ષા, સંસ્કૃતિ વગેરે સંબંધિત હતા.
આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી
આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ