ગુજરાતમાં કોરોનાના કેસ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં કોરોનાની દહેશત વધી રહી છે.આજે અમદાવાદમાં કોરોનાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વુદ્ધાનું કોરોનાથી મોત થયું છે,કોરોનાનો પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યા હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના નવા બે કેસો સામે આવ્યા છે. હાલમાં કુલ 35 કેસો એક્ટિવ છે. તમામ કેસો પશ્વિમ વિસ્તારમાંથી નોંધાયેલા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે, કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે અને તેનો નવો વેરિએન્ટ JN.1 ઝડપથી ફેલાઈ રહ્યો છે જેના લીધે સમગ્ર દેશમાં કોરોનાનો ખતરો વધ્યો છે.
આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી
આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ