ગુજરાત/ રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા રેમડેસીવિર ઇન્જેક્શન અંગે ડ્રગ કમિશનરે કહ્યું, …

ગુજરાતરાજ્ય સહીત સમગ્ર દેશમાં હાલમાં કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સામે લડવામાં અકસીર એવી દવા અને રેમડેસીવિર ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યાની વાતો સામે આવી રહી છે.

Top Stories Gujarat Others
દ૧ 3 રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા રેમડેસીવિર ઇન્જેક્શન અંગે ડ્રગ કમિશનરે કહ્યું, ...

ગુજરાત રાજ્ય સહીત સમગ્ર દેશમાં હાલમાં કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સામે લડવામાં અકસીર એવી દવા અને રેમડેસીવિર ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યાની વાતો સામે આવી રહી છે.  ત્યારે રાજ્યના ફ્રુડ એન્ડ ડ્રગ કમિશનર ડૉ. એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે. દેશની અનેક કમ્પનીઓ આ ઇન્જેક્શન બનાવી રહી છે.

આ અંગે નાગરિકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૨૮,૧૧૯ ઇન્જેક્શન ઉપલબ્ધ છે. કોરોના ની સારવાર માટે વપરાતા ઈન્જેકશન તથા દવાઓનો પૂરતો જથ્થો રાજયમા ઉપલબ્ધ થાય એ માટે સતત મોનીટરીગ દરરોજ કરવામાં આવે છે.કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજયમાં ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી

ડૉ.કોશિયા એ આ અંગે વિગતો આપતાં કહ્યુ કે આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૨૮,૧૧૯ ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે પૈકી અમદાવાદમાં ૯૨૨૩ ઇન્જેક્શન, વડોદરામાં ૭૭૪૬ ઇન્જેક્શન, સુરતમાં ૩૭૭૨ ઇન્જેક્શન, રાજકોટમાં ૩૫૦૪ ઇન્જેક્શન, મહેસાણામાં ૧૪૪ ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે ૧૦,૧૮૮ ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે, આમ કુલ ૩૮,૩૦૭ ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે. વધુમાં રાજય સરકારના દવાના ગોડાઉન જીએમએસસીએલ ખાતે કુલ ૧૬,૦૦૦ ઇન્જેક્શનનો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે, જે સરકારી હોસ્પિટલોમાં વિતરણ કરાનાર છે.

ડૉ. એચ.જી.કોશીયાએ રાજયના નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.