દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અકસ્માતમાં બાલ-બાલ બચી ગયા. વરસાદને કારણે દિલ્હીના સિવિલ લાઇન્સમાં તેમના ઘરની છતનો એક ભાગ પડી ગયો હતો. દુર્ભાગ્યે, છતનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું કે ઘરની બાથરૂમની છત પણ ધરાશાયી થઈ,સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. દેખીતી રીતે આ ઘટના પછી, એમસીડીએ 80 વર્ષ જુની આ ઇમારતનો સર્વેક્ષણ શરૂ કર્યું છે.
અકસ્માત અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ઘરનો એક ભાગ પોતાની ઓફિસ તરીકે રાખ્યો હતો. તે એક યુદ્ધ ખંડ જેવું હતું જ્યાં મહત્વપૂર્ણ બેઠકો યોજાઇ હતી. સારી વાત એ છે કે આ ઘટના દરમિયાન કોઈ ત્યાં હાજર નહોતું. આ તે સ્થાન છે જ્યાં કોઈ હંમેશા હાજર રહેતું ન હતું, પણ કંઈક ને કઈક ચાલતુ રહેતુ હતુ. હવે મુખ્યમંત્રીના ઘરનો એક ભાગ ચેમ્બરમાં ફેરવાયો છે.
એવું કહેવામાં આવે છે કે હવે મુખ્યમંત્રી જે મકાનમાં રહે છે તે મકાન 1942 માં બંધાયું હતું અને આ મકાનનો કેટલાક ભાગનુ આખા વર્ષ દરમિયાન સમારકામ થતુ રહે છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં દિલ્હીમાં ભારે વરસાદ થયો છે. એવું માનવામાં આવે છે કે બિલ્ડિંગના વધુ ભાગને અસર થઈ શકે છે. આ જ કારણ છે કે હવે પીડબ્લ્યુડી અધિકારીઓ દ્વારા કેજરીવાલના ઘરનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.