ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને ટાંકીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટ 2008માં કોંગ્રેસ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે થયેલ સમજૂતીના મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર ચોંકી ઉઠ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું હતું કે ‘કોંગ્રેસ પાર્ટી અને ચીની સરકાર વચ્ચે થયેલા કરારથી સુપ્રીમ કોર્ટ પણ આશ્ચર્યચકિત છે. એમઓયુ પર હસ્તાક્ષર કરનાર શ્રીમતી સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને સ્પષ્ટતા આપવી જોઈએ. શું આ કરારથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી દાન મળ્યું છે. અને બદલામાં ભારતીય બજારને ચીન માટે ખોલી દેવામાં આવ્યું છે. જેનાથી ભારતીય ધંધા પર અસર પડી ..? ‘
આ પછી, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ભાજપ અધ્યક્ષના ટ્વીટ પર કહ્યું કે, 2008 માં સોનિયા અને રાહુલ ગાંધી બેઇજિંગ ગયા અને ચીની સામ્યવાદી પાર્ટી સાથે એમઓયુ કર્યો. તદનુસાર, તમામ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિષયોમાં આદાન પ્રદાન કરવામાં આવ્યા હતા. આજે સુપ્રીમ કોર્ટે જ આ અંગે એક ટિપ્પણી કરતાં કહ્યું છે કે, કોઈ પણ રાજકીય પક્ષ કોઈ અન્ય દેશ સાથે કરાર કરી શકે છે અથવા એમઓયુ કરી શકે છે તે જાણીને આશ્ચર્ય થાય છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ અને ચાઇનાની સત્તાધારી સામ્યવાદી પાર્ટી વચ્ચેના કથિત કરાર અંગે એનઆઈએ પાસેથી તપાસની માંગ કરતી પીઆઈએલને સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, અરજદારના વકીલ મહેશ જેઠમલાણીએ દલીલ કરી હતી કે તે આ દેશના એક પક્ષનો બીજા દેશની પાર્ટી સાથેનો કરાર છે જે ખૂબ ગંભીર અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દો છે. સુપ્રીમ કોર્ટે આ કરારથી આશ્ચર્યચકિત થયા અને કહ્યું કે અમારા અનુભવમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષ દ્વારા અન્ય કોઈ દેશ સાથે કરાર કર્યા વિશે ક્યારેય સાંભળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.