કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગમાં મોટા પાયે ટ્રાન્સફર ઓર્ડર બહાર પડ્યા છે. જેમાં મહત્વનુ છે કે, ગુજરાત ખાતે ડીજી ઇન્કમટેક્સ તરીકે ફરજ બજાવતા અમિત જૈન ને અગાઉ મુંબઈ ખાતે ટ્રાન્સફર સાથે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેમને હવે પરત મુંબઈથી ગુજરાત પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ (PCCIT) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નોંધનીય છે કે થોડા જ સમય અગાઉ જ તેમની બદલી ગુજરાતથી જ મુંબઈ PCCIT તરીકે કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતના તત્કાલીન પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ પ્રીતમ સિંઘની બદલી ગુજરાતથી PCCITથી ઉત્તર પ્રદેશ પૂર્વના PCCIT તરીકે કરવામાં આવી છે. અમદાવાદમાં અમિત જૈન ડિરેક્ટર જનરલ ઈન્વેસ્ટિગેશન અને CCIT 1નો પણ વધારાનો ચાર્જ સંભાળશે.
મુંબઈના PCCITનો હવાલો આની ઓર્ડર ના થાય ત્યાં સુધી પતંજલિને આપવામાં આવ્યો છે. જે CCIT-2 તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત રવીન્દ્ર કુમારને PCCIT કેરળ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.