![પાયલોટે વિશ્વાસનો મત જીત્યા બાદ કહ્યું - હવે હું સરકારનો ભાગ નથી... 3 7fbf14864f43e3d87f8a5cbdf99a2f61 પાયલોટે વિશ્વાસનો મત જીત્યા બાદ કહ્યું - હવે હું સરકારનો ભાગ નથી... ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/08/7fbf14864f43e3d87f8a5cbdf99a2f61.png)
રાજસ્થાનમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય હુંસાતુસીનો હવે અંત આવ્યો છે. અને ગહલોત સરકારે આજ રોજ રાજીના વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત જીત્યો છે. આ સાથે વિધાનસભા 21 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે. ચર્ચાના જવાબમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે નક્કી કર્યું છે કે રાજસ્થાનની સરકાર પાડશે. પરંતુ હું તેને પડવા નહીં દઉં. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ તેમના સપનામાં સરકારોને જોઈ રહ્યા છે. રાજસ્થાનના સીએમએ કહ્યું કે જો તમે કોંગ્રેસનો ઇતિહાસ વાંચશો તો તમારી આંખો ખુલી જશે.
જ્યારે સચિન પાયલોટે કહ્યું કે ચર્ચા સરકારની લાયકાત પર હોવી જોઈએ. પાયલોટે કહ્યું કે આજે જ્યારે હું ગૃહમાં આવ્યો ત્યારે મેં જોયું કે મારી બેઠક પાછળ રાખવામાં આવી છે. હું છેલ્લી હરોળમાં બેઠો છું. હું રાજસ્થાનથી આવ્યો છું, જે પાકિસ્તાનની સરહદ પર છે. સૌથી મજબૂત સૈનિક સરહદ પર તૈનાત છે. હું અહીં બેઠો છું ત્યાં સુધી સરકાર સલામત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.