દેશમાં કોરોના વાયરસનો મારો ચાલી રહ્યો છે, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ કોરોનાનાં કેસોમાં વિક્રમી વધારો થયો છે. બુધવારે સવારે જારી કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 64,531 નવા કેસ આવ્યા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 27,67,273 થઈ ગઈ છે.
વળી આ સમયગાળા દરમિયાન 1,092 લોકોનાં મોત થયા છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. અત્યાર સુધીમાં ભારતમાં ચેપનાં કુલ કેસની સંખ્યા 27,67,273 પર પહોંચી ગઈ છે. આ સિવાય આ રોગચાળાથી 52,889 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે આમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 20,37,870 સુધી પહોંચી ગઈ છે, આ બધા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.