જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગઈકાલે રાત્રે સુરક્ષાદળોએ આતંકીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના સીઆરપીએફ, સેનાની 50 રાષ્ટ્રીય રાઇફલ્સ (50 આરઆર) અને જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ કામગીરી જૂથ (એસઓજી) ની સંયુક્ત ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુલવામાના જાદુરામાં સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.