લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ લાઇન પર છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે રશિયન રાજધાની મોસ્કોમાં તેમના ચીની સમકક્ષ જનરલ વેઇ ફેંગે સાથે મુલાકાત કરશે.
4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) કોન્ફરન્સ માટે મોસ્કોમાં છે. નોંધનીય છે કે અગાઉ રાજનાથ સિંહ અને ચીનનાં સંરક્ષણ પ્રધાન અલગથી મળવાનાં ન હોતા. પરંતુ આ બેઠકની માંગ ચીનનાં સંરક્ષણ પ્રધાન દ્વારા કરવામાં આવી હતી. આ પછી, બંને નેતાઓ આજે સાંજે મળવાના છે. પૂર્વ લદ્દાખમાં પાંચ મે થી ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે આ પહેલી મોટી બેઠક હશે. દરમિયાન, 15 જૂનમાં ગલવાન વેલીમાં હિંસા અને 30 ઓગસ્ટે, ચુશુલમાં ચીની તરફથી ઘુસણખોરીનાં પ્રયાસો થયા હતા.
સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન લદ્દાખની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ શકે છે. આ ચર્ચામાં, સંઘર્ષ પર કોઈ પરિણામ આવશે કે કેમ તે કહેવાની સ્થિતિમાં કોઈ નથી. હાલમાં, ભારત અને ચીન લદ્દાખમાં સંપૂર્ણ દળ સાથે તેમના સૈન્યને તૈનાત કરી ચુક્યા છે. વિદેશ મંત્રાલયમાં પૂર્વ એશિયા વિભાગની જવાબદારી સંભાળતા સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવે કહ્યું છે કે, રાજનાથ અને જનરલ વેઇ વચ્ચેની ચર્ચાનો એક વિષય લદ્દાખમાં ચાલી રહેલા સંઘર્ષ પર થશે.
શ્રીવાસ્તવ પહેલા જ મીટિંગનો એજન્ડા નક્કી કરવા માટે પોતાની ચિની સમકક્ષને મળી ચૂક્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મોદી સરકારમાં બીજા નંબર પર છે, જનરલ વેઇ ચીનનાં મિસાઇલ ફોર્સનાં ભૂતપૂર્વ કમાન્ડર રહી ચૂક્યા છે. તે હાલમાં સ્ટેટ કાઉન્સિલર છે અને ચીનનાં સૌથી શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમિશન (સીએમસી) નાં સભ્ય છે. તેમની બેઠક પછી, વિદેશ પ્રધાન એસ જયશંકર 10 સપ્ટેમ્બરે મોસ્કોમાં તેમના ચીની સમકક્ષ વેઇ વાઇને મળવાના છે. જયશંકર એસસીઓ પરિષદ માટે મોસ્કો જવા રવાના થવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.