Not Set/ અર્થવ્યવસ્થા પર ચેતન ભગતનો કટાક્ષ, કહ્યુ – માત્ર 5 % ભારતીઓને છોડી બાકી…

  જાણીતા લેખક ચેતન ભગત આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ચેતન ભગત તેમના પુસ્તકો તેમજ તેમના દોષરહિત વિચારો માટે જાણીતા છે. સમકાલીન મુદ્દાઓ પર, ચેતન ભગત પણ બેબાકીથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તાજેતરમાં જ તેમણે અર્થવ્યવસ્થા વિશે એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પોતાના […]

India
7fee959c69e7e56848c60aed4d4e5470 અર્થવ્યવસ્થા પર ચેતન ભગતનો કટાક્ષ, કહ્યુ - માત્ર 5 % ભારતીઓને છોડી બાકી...
7fee959c69e7e56848c60aed4d4e5470 અર્થવ્યવસ્થા પર ચેતન ભગતનો કટાક્ષ, કહ્યુ - માત્ર 5 % ભારતીઓને છોડી બાકી... 

જાણીતા લેખક ચેતન ભગત આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ચેતન ભગત તેમના પુસ્તકો તેમજ તેમના દોષરહિત વિચારો માટે જાણીતા છે. સમકાલીન મુદ્દાઓ પર, ચેતન ભગત પણ બેબાકીથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.

તાજેતરમાં જ તેમણે અર્થવ્યવસ્થા વિશે એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, 5% લોકો સિવાય બાકીનાં ભારતીય અર્થવ્યવસ્થાની કેમ પરવા કરતા નથી. તેમને લાગે છે કે તેનો કોઈ સીધો સંબંધ તેમની સાથે નથી. ચેતન ભગતનાં આ ટ્વીટ વિશે યુઝર્સ પણ ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. ચેતન ભગતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “ફક્ત 5 ટકા ભારતીઓ સિવાય અર્થવ્યવસ્થાની ચિંતા કેમ કોઇ કરતા નથી. તેઓને લાગે છે કે તેનાથી તેમનો કોઈ સીધો સંબંધ નથી. સસ્તા 4 જી ડેટા એટલે મગજનાં બાકી મુખ્ય મુદ્દાઓથી ધ્યાન હટાવવું. તેઓ ફક્ત મનોરંજન અને ભાવનાઓથી ભરપૂર સમાચાર ઇચ્છે છે, અર્થવ્યવસ્થા વિશે તો બિલકુલ નહીં.” આ સિવાય ચેતન ભગતે અનેક ટ્વીટ્સ કર્યા જેમાં તેમણે જીડીપી અને નોકરીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમા, ચેતન ભગતે લખ્યું, “ઓછો જીડીપી, ઓછી નોકરીઓ, વધુ હતાશા, ટ્વિટર પર વધુ ગુસ્સો અને નફરત.”

આ પણ વાંચો – સુબ્રમણ્યમ સ્વામીને આવ્યો ગુસ્સો, કહ્યુ- આખરે ચીન સાથે વાતચીત કેમ થઇ રહી છે?

આપને જણાવી દઇએ કે, ચેતન ભગતનાં ઘણા પ્રખ્યાત પુસ્તકો પર બોલિવૂડમાં ફિલ્મો બનાવવામાં આવી છે, જે ખૂબ સુપરહિટ રહી છે. આ ફિલ્મોમાં આમિર ખાનની ‘3 ઇડિયટ્સ‘, સલમાન ખાનની કિક‘, આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની ‘2 સ્ટેટ્સઅને સુશાંત સિંહ રાજપૂતની કાઇ પો છે!શામેલ છે. તાજેતરમાં જ તેમની નવી પુસ્તક વન એરેન્જ્ડ મર્ડરનું સિનેમાનું ટ્રેલર રિલીઝ થયું છે, જેમા અભિનેતા વિક્રાંત મૈસીનો જબરદસ્ત લુક જોવા મળ્યો છે. પુસ્તકનું ટ્રેલર જોઇને અંદાજ લગાવી શકાય છે કે આ વાર્તા બે મિત્રોની છે, જેમાંથી એકનાં લગ્ન થઇ જાય છે અને પછી હત્યા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.