![મુંબઈની એક્સચેંજ બિલ્ડિંગમાં લાગી આગ, અહીં ત્રીજા માળે છે NCB ની ઓફિસ 4 3bad520b07d2ef02542a18e5f9e3c0c7 મુંબઈની એક્સચેંજ બિલ્ડિંગમાં લાગી આગ, અહીં ત્રીજા માળે છે NCB ની ઓફિસ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/09/3bad520b07d2ef02542a18e5f9e3c0c7.png)
મુંબઈના બાલાર્ડ પિયર ખાતે આવેલ એક્સચેંજ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ જ બિલ્ડિંગમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની ઓફિસ છે. ફાયર બ્રિગેડની ઘટના સ્થળે આવી પહોંચી છે. આ ઓફિસથી, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ ચાલી રહી છે. અહીંયા એનસીબી અધિકારીઓ દ્વારા રિયા ચક્રવર્તીના ડ્રગના તમામ વેપારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ રિયાએ એક રાત એનસીબી ઓફિસના લોકઅપમાં વિતાવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્સચેંજ બિલ્ડિંગના ત્રીજા માળે એનસીબી ઓફિસ છે. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના કર્મચારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. હાલ કોઈ પણ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી. મુંબઈ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.