તાજેતરમાં, અટલ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, હવે તેના પર કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે અટલ ટનલના પાયાના પથ્થર સાથે જોડાયેલ પ્લેટ જેના પર સોનિયા ગાંધીનું નામ લખેલું હતું તે હટાવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ તેની સામે પ્રદર્શન કરવાની વાત પણ કરી છે.
જણાવીએ દઈએ કે, રણનીતિક રીતે મહત્વપૂર્ણ અટલ ટનલ મનાલીને લાહૌલ સ્પીતી સાથે જોડે છે. લેહ જવાનું સરળ બન્યું છે અને મુસાફરીમાં 5 કલાકનો બચાવ થાય છે. જેનું ઉદ્ઘાટન 3 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. તે પર્વતો પરની વિશ્વની સૌથી લાંબી ટનલ હોવાનું કહેવાય છે. અટલ ટનલની લંબાઈ 9.02 કિમી છે.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સોનિયા ગાંધીનું નામ જેના નામ પર લખાયું હતું તે ઉદ્ઘાટન પહેલા કાઢી નાખવામાં આવ્યું હતું. હવે પ્રદેશ પ્રમુખ કુલદીપ સિંહ રાઠોડે મુખ્ય પ્રધાન જયરામ રમેશને પત્ર લખીને વિરોધ કરવાની ચેતવણી આપી છે. એવું કહેવામાં આવે છે કે આ રીતે પત્થરો કાઢવાનું લોકશાહી અને ગેરકાયદેસરની વિરુદ્ધ છે.
પ્રદેશ કોંગ્રેસે કહ્યું કે આ પથ્થર 28 જૂન, 2010 ના રોજ લગાવામાં આવ્યો હતો. પક્ષના બે નેતાઓએ પોલીસમાં ફરિયાદ કરી છે અને ત્યાંથી પાયોનો પત્થર કેવી રીતે ગાયબ થયો તેની તપાસની માંગ કરી છે.
આપને જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાં આ ટનલ બનાવવાનો નિર્ણય વર્ષ 2000 માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન લેવામાં આવ્યો હતો. હવે 2019 માં, મોદી સરકારે નિર્ણય કર્યો કે આ ટનલનું નામ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નામ પરથી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ