શનિવારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-ઉલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ (એનડીએ) સરકારે સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) અંગે મૂંઝવણ ઉભી કરી છે. તેમણે તેને ‘કાળો કાયદો’ અને ‘ગેરબંધારણીય’ પણ કહ્યું. સાથે એમ પણ કહ્યું કે આ દ્વારા કેન્દ્ર સરકાર ધર્મના નામે ભેદભાવ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકારને કડક સંદેશ આપવા માટે, જેમણે નાગરિકતા અધિનિયમ અને એનઆરસીનો વિરોધ કર્યો છે તેઓએ તેમના ઘરે ત્રિરંગો લહેરાવવો જોઈએ.
ઓવૈસીએ શનિવારે મોડીરાતે હૈદરાબાદમાં એક રેલીને સંબોધન કરતાં આ વાત કહી હતી. આ સમય દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું CAA વિશેની ‘અફવાઓ’ દૂર કરવાની જરૂર છે કેમ કે સરકારના સ્પષ્ટ ખાતરી હોવા છતાં ભારતીય મુસ્લિમોનું કંઈ નહીં થાય, ઘણા મુસ્લિમો દાવો કરે છે કે તેઓ ‘બાકાત’ છે. સૌથી મહત્વની વાત એ છે કે રેલી દરમિયાન બંધારણની પ્રસ્તાવના પણ વાંચવામાં આવી હતી.
ઓવૈસીએ કહ્યું કે સરકાર કેમ નથી કહેતી … આસામમાં, જ્યાં એનઆરસી લાગુ કરવામાં આવે છે, તમે સીએએ દ્વારા લગભગ 5.40 લાખ બંગાળી હિન્દુઓને નાગરિકત્વ આપી રહ્યા છો. તમે આસામમાં પાંચ લાખ મુસ્લિમો નહીં આપો.
તેમણે એમ પણ કહ્યું કે તે કોઈ અફવા છે કે સત્ય? સરકારે આ વાત કહેવી જોઈએ. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તમે ભેદભાવ કરી રહ્યા છો. તમે ધર્મના આધારે કાયદા બનાવી રહ્યા છો અને પછી ફરિયાદ પણ કરો છો.
સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અંગે પૂછવામાં આવતા ઓવૈસીએ કહ્યું હતું કે, હું હિંસાની નિંદા કરું છું, ભલે હિંસા લખનૌ, અમદાવાદ, બેંગલુરુ અથવા અન્ય ક્યાંય થઈ હોય.
આ સાથે એઆઈએમઆઈએમ નેતાએ લોકોને વિરોધના તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી, હિંસાની તમામને નિંદા કરવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.