બ્રિટિશ રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાનો ઔપચારિક રાજ્યાભિષેક શનિવાર (6 મે)ના રોજ લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને રાજ્યાભિષેકની શુભેચ્છા પાઠવી છે. શાહી પરિવારના સત્તાવાર હેન્ડલને ટેગ કરીને, વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, “કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાને તેમના રાજ્યાભિષેક પર હાર્દિક અભિનંદન. અમને વિશ્વાસ છે કે ભારત-યુકે સંબંધો આવનારા વર્ષોમાં વધુ મજબૂત બનશે.
Warmest congratulations to King Charles III and Queen Camilla on their coronation. We are sure that the India-UK relationship will be strengthened further in the coming years. @RoyalFamily
— Narendra Modi (@narendramodi) May 6, 2023
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ બ્રિટિશ રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાના ઔપચારિક રાજ્યાભિષેક પર અભિનંદન સંદેશ આપ્યો છે, સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી છે.