ગુજરાત/ 2જી મેના રોજ જાહેર થશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ,વ્હોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવતીકાલે સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવતીકાલે સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે. ધોરણ-12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9.00 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે. તે ઉપરાંત ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ આવતીકાલે સવારે જાહેર થશે. વિદ્યાર્થીઓ http://gseb.org પર સવારે 9 વાગે પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે.

ગુજરાતમાં 14 માર્ચ, 2023થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 12ની પરિક્ષાના પરિણામની રાહ હવે ખતમ થઈ ગઈ છે.  ધોરણ 12  વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 9 કલાકે વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

ગુજકેટની પરીક્ષાની તારીખ 3 એપ્રિલ 2023ના રોજ યોજાઈ હતી. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા લેવાઈ હતી.

ધો. 12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ મે માસના છેલ્લા વીક અને ધોરણ-10નું જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાશે શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 14મીથી તારીખ 28મી, માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ થઇ જવામાં આવી છે. ઉપરાંત હાલમાં પરિણામની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં માર્કશીટ બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જોકે ધોરણ-12 સાયન્સની પરીક્ષા રાજ્યભરમાંથી 110382, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 565528 અને ધોરણ-10ની 956753 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે પરીક્ષામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી રહેવા પામી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થતાં જ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ એનાલીસીસ તેમજ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાઇ રહી છે.

આ પણ વાંચો:મહેસાણાના બાસણા ગામમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો,મોબાઈલે ખોલ્યા રહસ્યો

આ પણ વાંચો:બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા CMના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિંન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે

આ પણ વાંચો:શું છે ગુજરાત દિવસનો ઇતિહાસ અને મહત્વ? ગુજરાત દિવસના ગર્ભમાં છુપાયેલી કેટલીક રસપ્રદ બાબતો જાણો!

આ પણ વાંચો:દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો….