દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તાજેતરમાં નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે વિવાદ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, LGએ સીએમ અરવિંદ કેજરીવાલની કેટલીક ફાઇલો અટકાવી છે. જેના કારણે અરવિંદ કેજરીવાલની આગામી સિંગાપુર મુલાકાત પર ગ્રહણ લાગી શકે છે.
સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, એલજીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કેટલીક ફાઈલો ત્રણ અઠવાડિયા માટે રોકી રાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેજરીવાલની સિંગાપુર મુલાકાત માટે આ ફાઈલો મહત્વપૂર્ણ છે. તે ‘વર્લ્ડ સિટીઝ સમિટ’માં દિલ્હી મોડલ પર બોલવા માટે સિંગાપુર જવા માટે તૈયાર છે. આ કોન્ફરન્સ 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વાંગે તાજેતરમાં અરવિંદ કેજરીવાલને કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. આને લગતી ફાઇલો છેલ્લા ત્રણ અઠવાડિયાથી એલજી હાઉસ પાસે પેન્ડિંગ છે. સામાન્ય રીતે મુખ્યમંત્રીની મુલાકાતોને લગતી ફાઇલો 1-2 દિવસમાં પરત કરવામાં આવે છે. પરંતુ આ વખતે તેમને 3 અઠવાડિયા માટે હોલ્ડ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: PM મોદી, જે.પી. નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહની હાજરીમાં દ્રૌપદી મુર્મુએ કર્યું નોમિનેશન ફાઇલ