- દિયોદરની નર્મદા કેનાલમાં પરિવારનો આપઘાત
- દિયોદર નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ કર્યો આપઘાત
- પરણિત મહિલાએ બે પુત્રીઓ સાથે લગાવી છંલાગ
- જાડાની પરણિત મહિલા હોવાની સ્થાનિકોમાં ચર્ચા
- કલાકો બાદ મૃતકની લાશ કઢાઈ બહાર
- થરાદ બાદ દિયોદરમાં પણ સામુહિક આપઘાત
રાજ્યમાં આત્મહત્યાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, કોરોનાબાદ આત્મહત્યાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, માનસિક સ્થિતિ, આર્થિક સ્થિતિના લીધે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આવેલી નર્મદા કેનાલમાં 3 લોકોએ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. એક જ પરિવારના 3 સભ્યોએ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં એરેરાટી ફેલાઇ ગઇ છે. પરણિત મહિલાએ તેની બે પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. કલાકો બાદ તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલ સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પણ મોકલી દીધા છે. અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. હાલ તેમની ઓળખ કરી રહી છે.