દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 23 નવેમ્બર 2020, સોમવાર
- તિથિ – કારતક સુદ નોમ
- રાશિ – કુંભ (ગ,શ,ષ,સ)
- નક્ષત્ર – શતતારા
- યોગ – હર્ષણ
- કરણ – બાલવ
દિન વિશેષ –
- શુભ ચોઘડીયું – સવારે 9.39 થી 12.02
- સોમવારની શુભવારમાં ગણતરી કરવામાં આવે છે
- પણ, દિનશુદ્ધિ નથી એટલે આજનો દિવસ શુભ નથી
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- વડીલો માટે કાર્ય કરવાનું થાય
- કાર્યક્ષેત્રે ચિવટ વધી જશે
- શુભવાણીનો ઉચ્ચાર થાય
- ધનપ્રાપ્તિના યોગ પણ છે
* વૃષભ (બ,વ,ઉ) –
- શુભકાર્યો કરવાની ઇચ્છા થાય
- સેવાવૃત્તિમાં ઉમેરો થાય
- મિત્રો સાથે મતભેદ રહી શકે
- પ્રેમ સંબંધો ખીલી ઊઠે
* મિથુન (ક,છ,ઘ) –
- વેપાર પ્રત્યે મનોમંથન વધે
- સાધુતાના વિચારો આવે
- પિતા સાથે મતભેદ રહે
- ઘરમાં સુખશાંતિનો અભાવ વર્તાય
* કર્ક (ડ,હ) –
- શરદી-ખાંસીથી સાચવવું
- જીવનસાથી સાથે ચર્ચાવિચારણા વધે
- ધનલાભ થઈ શકે
- માતા સાથે પ્રેમ વધી શકે છે
* સિંહ (મ,ટ) –
- જીવનસાથી સાથે મતભેદ રહે
- આરોગ્ય જાળવવું
- ગુસ્સા ઉપર કાબૂ રાખવો
- ગુહ્યઅંગોની બિમારીથી સાવધાન
* કન્યા (પ,ઠ,ણ) –
- સંતાન સાથે ગહન ચર્ચા થાય
- વિદ્યાર્થીઓ માટે શુભ
- ગૃહસ્થજીવનમાં સાચવવું
- ધનપ્રાપ્તિના યોગ છે
* તુલા (ર,ત) –
- પ્રેમ સંબંધ મજબૂત બને
- ભાગ્યનું બળ પ્રાપ્ત થયું છે
- ધનપ્રાપ્તિ થાય
- શત્રુઓ નબળા પડે
* વૃશ્ચિક (ન,ય) –
- ગુસ્સા ઉપર કાબૂ રાખો
- પુત્રવધૂ સાથે મતભેદ રહે
- પ્રવાસ થાય
- શુભકાર્યો થઈ શકે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- આરોગ્ય જાળવવું
- પરિવારમાં થોડું મનદુઃખ રહી શકે
- મિત્રોથી લાભ થાય
- મોટાભાઈ બહેનોથી પણ લાભ
* મકર (ખ,જ) –
- નાના ભાઈ-બહેન મદદ કરે
- સંતાનથી લાભ મળે
- પ્રેમ સંબંધ મજબૂત બને
- ધન પ્રાપ્તિના અવસરો રહે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- શરદી-ખાંસીથી સાચવવું
- આવકનું પ્રમાણ જળવાશે
- ભાગ્યનો સાથ મળશે
- પૂર્વના કર્મો ઊગી નીકળશે
* મિન (દ,ચ,ઝ,થ) –
- લાભ મળે તેવા કાર્યો થાય
- વૈજ્ઞાનિક અભિગમ જળવાય
- અચાનક ધનલાભ મળે
- પરિવારમાં સુખશાંતિ જળવાય
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય હોય તો તાંબાના વાસણનું દાન કરવું.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.