જૂનાગઢમાં આયોજિત ભાજપનાં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહ્યા. આ અવસર પર સીએમ રૂપાણીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપનાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થવા પર સીએમ રૂપાણીએ લોકોનો આભાર માન્યો હતો. ભાજપનાં આ કાર્યક્રમમાં જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપનાં વિજયી બનેલા 54 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા.
જૂનાગઠમાં મેળવેલી જીત બાદ લોકોનો આભાર માનવા પહોચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે, લોકશાહી ઇશ્વર સમાન હોય છે અને જૂનાગઠની જનતા એ કોઇ પણ જાતનાં ભ્રામક પ્રચારમાં આવ્યા વિના અનેક પ્રપંચો અનેક ભ્રમણાઓ અનેક કાવાદાવાઓથી હટીને મતદાન કર્યુ હતુ. જનતાએ વડાપ્રધાન નરેદ્ર મોદીની વિકાસ યાત્રા પર ભરોસો રાખીને મત આપ્યા છે. સીએમ રૂપાણીએ અહી જૂનાગઠની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યવુ કે, હુ જનતાને ભરોસો આપવા આવ્યો છુ કે તમે જે અમારા પર ભરોસો મુક્યો છે તે ભરોસો એડે નહી જાય, તમે મત આપી અમારા પર રૂણ અદા કર્યુ છે એનાથી સવાયુ અમે તમને પાછુ આપીશુ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.