સુપ્રીમ કોર્ટે દ્રારા અવેધ ખનિજ અને ખાણ ખન્ન મામલે કડક આદેશો આપી, ખનિજ માફિયાઓ સામે લાલ આંખ કરતા સંકેત આપ્યો છે કે, હવે આ નહીં ચલાવી લેવામાં આવે. સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકાર, 5 રાજ્યો સરકારો અને સીબીઆઇને દેશભરમાં ગેરકાયદેસર રેતીનાં ખોદકામ સામે કરવામા આવેલી PILનાં સંદર્ભમાં નોટિસ ઇશ્યુ કરી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર વિસ્તારોમાં રેતીનાં ખાણકામ માટે લેવામાં આવતી મંજૂરીનાં ખામીયુક્ત માળખાને લઇને પણ ટકોર કરવામા આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામા આવ્યું છે કે, રેતીના ખન્નકામ માટેનાં કોઇ પણ પ્રોજેક્ટ્સને પર્યાવરણીય મંજૂરી અટલે કે એન્વાયર્મેન્ટ ક્લિયર્નસ આપતા પૂર્વે રેતી ખન્નથી જેતે વિસ્તારમાં શું અસરો થશે તેની પુરી તપાસ કરવામાં આવે તેવો કડક આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ખંડપીઠ દ્વારા ભારત સરકારનાં પર્યાવરણ મંત્રાલય, ખાણ મંત્રાલય, તમિળનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, આધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને સીબીઆઈને આ મામલે પોતાનો પ્રતિભાવ તુરંતમાં આપવાનું પણ ફરમાન કર્યુ છે.
માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા અવેધ રેતી ખન્ન અને ખનિજ ચોરીથી પર્યાવરણને થતા વ્યાપક નુકસાન મામલે કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન આ આદેશો આપ્યા હતા. અને દેશભરનાં ખાણ અને ખનિજ માફિયા સામે લાલ આંખ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન