ભારતમાં કોરોનાએ માઝા મૂકી છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે.કોરોનાની મહામારીના સમયે એક સારા સમાચાર એ છે કે ભારત ફૂડ કોર્પોરેશનએ દેશના તમામ રાજ્યોને અનાજનો પુરવઠો પુરો પાડવાની કવાયત હાથધરી છે. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને બે મહિના સુધી મફત અનાજ પુરો પાડવાની જાહેરાત કરી હતી .
દરેક રાજ્યોને અનાજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. ભારત ફૂડ કોર્પોરેશને પોતાના ગોદામમાંથી 3 મેના રોજ 5.88 એલએમટી અનાજ પુરવઠો લાભાર્થીઓને પુરો પાડવા માટે વિતરણ શરૃ કરી દીધો છે. કેન્દ્ર સરકારે આ અંગે જાહેરાત કરી હતી. ભારતની વર્તમાન સ્થિતિ અતિ ગંભીર છે તેથી વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના અતર્ગત આગામી બે મહિના સુધી અનાજ આપવામાં આવશે.
3