નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે મશીન અથવા પોલિએસ્ટરથી બનેલા ભારતીય રાષ્ટ્રધ્વજના વેચાણને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવામાં આવી છે. સુતરાઉ, રેશમ, ઊન અથવા ખાદીના હાથથી વણાયેલા કાપડમાંથી બનેલા રાષ્ટ્રધ્વજને પહેલેથી જ GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહેસૂલ વિભાગે એક ઓફિસ મેમોરેન્ડમમાં સ્પષ્ટતા કરી હતી કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ‘ભારતના ફ્લેગ કોડ 2002’માં સુધારા બાદ પોલિએસ્ટર અથવા મશીનથી બનેલા ત્રિરંગાને પણ સેસમાંથી મુક્તિ આપવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના કાર્યાલયે ટ્વીટ કર્યું કે તે સ્પષ્ટ કરવામાં આવે છે કે ફ્લેગ કોડ 2002 અને ત્યારબાદના સુધારાઓનું પાલન કરતા ભારતીય રાષ્ટ્રધ્વજના વેચાણને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે.
It has been clarified that the sale of the Indian National Flag, adhering to the Flag Code 2002 and its subsequent amendments, is exempt from GST. pic.twitter.com/vNvjYPwNqY
— NSitharamanOffice (@nsitharamanoffc) July 8, 2022
નાણા મંત્રાલયની આ સ્પષ્ટતા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ પહેલની પૃષ્ઠભૂમિમાં આવી છે. આ પહેલ હેઠળ, દરેક ભારતીયને સ્વતંત્રતાના 75 વર્ષની યાદગીરીમાં તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને આપણા રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.