@ દિવ્યેશ પરમાર
સુરતના કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીની ચિંતામાં વધારો થયો છે. સજ્જુ કોઠારી સામે ઈડી બાદ હવે આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન આઈ ટી એ 6 જેટલી મિલકત ટાંચ માં લીધી હતી.
સુરતના ભુખ્યાત અને આરોપી એવા સજ્જુ કોઠારી સામે ઇડી બાદ આઈ ટી એ કાર્યવાહી હાથ ધરી છે. સજ કોઠારીની છ જેટલી મિલકતો આર.ટી.એ ટાંચમાં લીધી હતી જેમાં ફ્લેટ દુકાનો અને અન્ય મિલકતનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે સજ્જુ કોઠારી એ અત્યાર સુધી મારામારી ,લૂંટ ,અપહરણ, ખંડણી સહિતના અનેક ગુના આચરી એમાંથી મિલકત વસાવી હતી. સજ્જુ કોઠારી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ હતી. ત્યારબાદ તેમની મિલકતોને લઈને ડી સી હરકતમાં આવ્યું હતું. અને તેની સામે તપાસ કરી હતી જેમાં તેમની બે નામી આવક સામે ગાળીઓ કસ્યો હતો. અને અનેક મિલકત પણ જપ્ત કરવામાં આવી હતી ઈડીની તપાસ બાદ હવે આઈ ટી પણ હરકતમાં આવી હતી અને સજ્જુ કોઠારીની તમામ મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી સજ્જુ કોઠારીની છ જેટલી મિલકતો આઈટીએ ટાંચમાં લીધી હતી જેમાં ફલેટ ,દુકાનો સહિતની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી. આમ સજ્જુ કોઠારી ફરતી હવે આઈ ટી એ ગાળીયો કસ્યો હતો. આ સમગ્ર મામલે હજુ પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જો અન્ય મિલકતો પણ બેનામી સાબિત થાય તો તેને પણ ટાંચમાં લેવામાં આવશે.
આ પણ વાંચો: ‘અનુપમા’નું નવું રૂપ, ભાજપમાં જોડાઈ રૂપાલી ગાંગુલી
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી
આ પણ વાંચો:છઠ્ઠા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે