ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ પાર્ટીએ પ્રહાર કર્યા છે.
સરકાર બનાવવાનો દાવો કરનારી ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક પણ સીટ નહીં જીતી શકે આ અમે લેખિતમાં આપીએ છીએ. કેમ કે AAP કોંગ્રેસના વોટ કાપી ભાજપને ફાયદો પહોંચાડવા માટે જ ગુજરાત આવી છે. : શ્રી @RaghusharmaINC જી pic.twitter.com/S62dbNMXaa
— Gujarat Congress (@INCGujarat) November 24, 2022
અરવિંદ કેજરીવાલની જેમ જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ કાગળ પર લખીને કહ્યું કે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતુ પણ નહીં ખુલે. આપની એક પણ સીટ નહીં આવે. જેનો વીડિયો પણ તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે.