કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે પરિવારના એક સભ્ય અને તેના સ્ટાફના એક સભ્યનો COVID-19 માટે પોઝિટિવ રીપોર્ટ આવતા પોતાને આઈસોલેટ કરી દીધા છે. જોકે પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું, “મારા પરિવારના એક સભ્ય અને મારા એક કર્મચારીને ગઈકાલે કોવિડ-19 પોઝિટિવ જણાયું હતું. મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જો કે ડૉક્ટરે મને આઈસોલેટ રહેવાની અને થોડા દિવસો પછી ફરી ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.”
દરમિયાન, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 33,750 નવા COVID-19 કેસ અને 123 મૃત્યુ નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા 1,700 છે અને તે 23 રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. મહારાષ્ટ્ર 510 કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, ત્યારબાદ દિલ્હી 351 કેસ સાથે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીના મહાસચિવ છે અને ઉત્તર પ્રદેશના પ્રભારી છે. ગયા અઠવાડિયે, પ્રિયંકા અને તેના ભાઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતરની માંગ કરતા કહ્યું કે તે પીડિતોને ન્યાય આપવાનું પ્રથમ પગલું હશે.
ભરૂચ / અંકલેશ્વર GIDC ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન
Karnataka / કર્ણાટક સંસ્કૃત યુનિવર્સિટીનું મળ્યું કાયમી કેમ્પસ, CM કરશે શીલાન્યાસ
બાળકોનું રસીકરણ / પ્રથમ દિવસે 30 લાખ બાળકોને રસી અપાઈ, 44 લાખથી વધુ રજીસ્ટ્રેશન
શિક્ષક બન્યો હેવાન / પરીક્ષામાં સારું પરિણામ જોઈએ છે ? તો હું કહું તેમ કરવું પડશે..!