કર્ણાટક કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારને બુધવારે દિલ્હીની કોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો હતો. કોર્ટે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમાર મની લોન્ડરિંગ કેસમાં હાલ તિહાર જેલમાં બંધ છે.
શિવકુમાર વતી વરિષ્ઠ વકીલો અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી હાજર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે એડિશનલ સોલિસિટર જનરલની અરજીનો વિરોધ કરતાં કહ્યું કે શિવકુમાર નિર્દોષ છે અને ઇડી તેમને જેલમાં રાખવા માટે બેચેન છે.