- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના પ્રહાર
- હિંમતનગર – ખંભાત હિંસાને લઈ કર્યા પ્રહાર
- સત્તામાં બેઠેલા કેટલાક લોકો કરાવે છે તોફાનઃ ઠાકોર
- ક્યાં છે આઈબી અને પોલીસ પ્રશાસનઃ જગદીશ ઠાકોર
- ‘તોફાનો બાદ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન કનેક્શન?‘
રાજ્યમાં બે દિવસ પહેલા રામનવમીના શોભાયાત્રા દરમિયાન કોમી હિંસા ફાટી નીકળી હતી જેના લીધે ગુજરાતની શાંતિ ડોહલાવવાનો પ્રયાસ અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવી હતી અને જેના લીધે હિમત નગર અને ખંભાતમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કોમી હિંસા મામલે રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકુરે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ખંભાત અને હિંમતનગરને લઇને મોટો નિવેદન આપ્યો છે તેમણે કહ્યું કે સત્તામાં બેઠેલા લોકો તોફાન કરાવે છે, આ મામલે ક્યાં છે આઇબી અને પોલીસ તંત્ર,આ ઉપરાત કોંગ્રેસના અધ્યક્ષ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે હવે સત્તામાં બેઠેલા લોકો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કનેકશનની વાતો કરશે. સત્તાપક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, છેલ્લા બે દિવસથી બે મુદ્દા ચાલી રહ્યા છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઇતિહાસથી અજાણ છે, દરેક વિચારે કે જીભ લપસી જાય, બોલવામાં ભૂલ થાય, પરંતુ ભૂલ બાદ માફી પણ માંગવી જોઈએ. તેમણે ભાજપા પર પ્રહાર કરતા કહ્યું કે, પરંતુ અહંકારી પાટીલે હજુ માફી માંગી નથી. ભૂતકાળમાં મોરારીબાપુ સાથે કેવો વ્યવહાર થયો હતો એ આપણે જાઁણીએ છીએ. પાટીલ બહેનને પતિ-પત્ની ગણાવવાની મોટી ભૂલ કરે અને પાછી ભૂલ ન સ્વીકારે એ અહંકાર છે. ધર્મના ટેકેદાર બનેલા જ આવુ નિવેદન આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી માંગ છે કે, ઈતિહાસ સાથે છેડછાડ થઈ છે, તે બદલ માફી માંગવી જોઈએ. તમારા ઘમંડ અને અહંકારને આવું બોલીને કેટલું ટકાવવા માંગો છો?