અમદાવાદ,
મોટા ભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય છે અને કબજિયાતની સમસ્યા પીડીતોને અનેક રીતે હેરાન કરે છે અને આના કારણે વ્યક્તિનું ધીરે-ધીરે રોગિષ્ઠ બનતું જાય છે. આંતરડામાં ગાંઠ થવાની સમસ્યા કોઈ કારણસર આંતરડામાં અવરોધ આવવું, ખાણી-પીણી સંબંધી કે પછી કેટલાક અન્ય કારણોથી પણ કબજિયાતની સમસ્યા ઉદ્ભવતી હોય છે.
સામાન્ય રીતે કબજિયાતમાં પેટમાં દુઃખાવો કે પેટ ફુલી જવું જેવી સમસ્યા રહે છે. જો કે, કબજિયાતની સમસ્યા કેટલાક ખાસ પ્રકારના ખાદ્ય પદાર્થોનું સેવન કરતા રહેવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા સતાવતી હોય છે એવા લોકોએ ખાસ પ્રકારના ફળોનું સેવન કરવું જાઈએ.
જેમકે, મોસંબી, નારંગી, નાશપતી, તરબુચ, ટેટી, કેરી, સીતાફળ, જામફળ, પપૈયુ, રાસબરી, દાડમ મુખ્ય રીતે રેશેદાર ફળોનું સેવન કબજિયાતની સમસ્યામાં બહુ જ લાભકારક સાબિત થાય છે.
આ સિવાય ભોજનમાં ઉચ્ચ ફાઈબરયુક્ત ખોરાક જેમ કે રાજમા, વિવિધ પ્રકારની દાળો વગેરે સામેલ કરવાથી પણ કબજિયાતમાંથી છુટકારો મળે છે. ઉપરાંત પોષણથી ભરપુર બીન્સમાં પ્રોટીન અને ઘુલનશીલ ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને આનાથી ફેટ પર બહુ ઓછી માત્રામાં રહે છે, આ સ્વાસ્થ્ય માટે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ સિવાય કબજિયાતમાં મધનું સેવન પણ ફાયદાકારક હોય છે. રાતે સુતા પહેલા એક ચમચી મધને નવશેકા પાણીમાં મિક્ષ કરી પીવાથી ઘણો ફાયદો થાય છે. જ્યારે સવારે ઉઠીને કંઈ ખાધા વિના ૫થી ૧૦ કાજુ, ૪-૫ કિસમીસની સાથે ખાવામાં આવે તો પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે.