Kheda News : ખેડાના કપંડવંજ ખાતે ક કોન્ટ્રાક્ટરે ગળાફાંસો કાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે આપઘાતનું કારણ બહાર આવ્યું નથી, એમ પોલીસે જણાવ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.કપડવંજમાં કનુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરે ગળાફાંસો ખાઈ લઈને જાવન ટુંકાવ્યું હતું. મૃતકે રોડ નજીકના એક ઝાડ પર રસ્સી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
મૃતક કનુભાઈ પંચમહાલ જિલ્લાના થાંભા, નાસીકપુરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી ન હોવાથી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, એમ પોલીસે જણાવ્યું હતું.મૃતક કનુભાઈ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા. આ અંગે કપંડવંજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ