- અમદાવાદમાં માઇક્રો કન્ટે.ઝોનમાં વધારો
- કોરોના સંક્રમણ વધતાં કરાયો વધારો
- અમદાવાદમાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ
- અમદાવાદમાં 48 માઈક્રો કોન્ટેન્ટમેન્ટઝોન અમલમાં
- ગઈ કાલે 4 નવા માઇક્રો કોન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા
- પશ્ચિમ વિસ્તારમાં ઉમેરાયા નવા 4 ઝોન
- સાઉથ બોપલ, ચાંદખેડા, જોધપુર વિસ્તારનો સમાવેશ
- માઇક્રો કોન્ટેન્ટમેન્ટ ઝોનમાં ગોતાનો સમાવેશ
ગુજરાતમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. વળી રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત શહેર અમદાવાદમાં સ્થિતિ ખરાબ થતી જઇ રહી છે. કોરોનાનાં કેસમાં વધારો થવાના કારણે શહેરનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ મેચ દરમિયાન દર્શકો હાજર રહી શકશે નહી. શહેરમાં સતત માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે.
ઈતિહાસમાં આજે / ઈતિહાસમાં 16 માર્ચ નો દિવસ કેમ છે ખાસ
રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી ખરાબ પરિસ્થિતિ અમદાવાદ અને સુરત શહેરની હોય તેવા આંકડાઓ રોજ સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કોરોનાનાં કેસનાં કારણે તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે. આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં 48 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે. વળી ગઇ કાલે પશ્ચિમ વિસ્તારમાંથી 4 નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા છે. જેમા સાઉથ બોપલ, ચાંદખેડા, જોધપુરર, ગોતા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…